ભાવનગર લઠ્ઠાકાંડ મામલે કોંગ્રેસ એકશનમાં – જીગ્નેશ મેવાણીએ સરકાર પાસે કરી મોટી મોટી માંગ

By: Nation Gujarat Team
21 Aug, 2026

ભાવનગરમા લઠ્ઠાકાંડ મામલે હવે રાજકીય પક્ષોમાં પણ એક આક્રોશ જોવા મળી રહ્યો છે ગઇકાલે આમ આદમી પાર્ટી હોસ્પિટલ અને પીડિત પરિવારોને મળી આજે કોંગ્રેસ ડેલિગેશન પણ મળ્યુ અને તેમના નિવેદનમાં સરકાર સામે સખત શબ્દોમાં આકરા પ્રહાર કરી માંગ કરી છે કે આ ઘટનામાં સરકાર અને પોલીસની લાલીયાવાડી જવાબદાર છે. આજે કોંગ્રેસના ઘારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૃહમંત્રી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરી છે. તેમને ભાવનગર ખાચે પ્રેસ મીડિયાને સંબોધી તેના મહત્વના મુદ્દાઓ

  • ગુજરાતના 8 ચોપડી પાસ ગૃહમંત્રીએ જવાબદાર અધિકારીઓ સામે એક્શન લેવાના બદલે, હપ્તાખોરી બંધ કરાવવાના બદલે રાજ્યની પોલીસને મારી વિરુદ્ધ ઉપસાવી.
  • આજે તેનું પરિણામ છે કે ભાવનગરમાં 11 લોકો લઠ્ઠાકાંડનો ભોગ બન્યા છે.
  • 2022-23, 2023-24, 2025-26માં દર એક-દોઢ વર્ષે લઠ્ઠાકાંડની ઘટના બને છે અને એક ડઝનથી વધુ ગુજરાતીઓને આપણે ગુમાવીએ છીએ અને આ ઘટના માટે રાજ્યના ગૃહમંત્રી જ જવાબદાર છે.
  • ગુજરાતની જનતાની કમનસીબી છે કે આવા ઢોઢ, અભણ અને 8 ચોપડી પાસ ગૃહમંત્રી આપણા લમણે લખાયા છે.
  • આ રાજ્યની સરકાર ગેરંટી આપી શકે છે કે આજે ભાવનગર શહેર અને જિલ્લામાં આજે કે ગઈકાલે દારૂ વેચાયો નથી.
  • રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ગેરંટી આપશે કે 72 કલાકમાં તેમની વિધાનસભા મજુરા અને ઘાટલોડિયામાં દારૂ વેચાયો નથી.
  • અંબાજી, દ્વારકા, સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિરો, ડાકોર, હિન્દુ સંપ્રદાયનાં તમામ મંદિરોની 2 કિમીની ત્રિજ્યામાં 2 ડઝન દારૂના અડ્ડા ચાલે છે.
  • સુરત, વડોદરા, રાજકોટ, અમદાવાદના પોલીસ કમિશનરોના મકાન અને ઓફિસની 2 કિમીની ત્રિજ્યામાં આજે પણ દારૂ, ચરસ, ગાંજાનો બેફામ વેપાર ચાલુ છે.
  • આ બધું તો જ શક્ય બને, જ્યારે રાજ્યના ગૃહમંત્રીનો અધિકારીઓ ઉપર હાથ હોય, જો ભાજપની કેબિનેટ અને ગૃહમંત્રી આમાંથી કરોડોની કમાણી કરતા હોય.
  • આ લઠ્ઠાકાંડ ગુજરાતની ભાજપ સરકાર માટે શરમથી ડૂબી મરવા જેવો છે.
  • હમણાં જ કોંગ્રેસ પરિવારનું ડેલિગેશન આવ્યું. ડોક્ટરે કહ્યું કે હજુ 11 દર્દીઓ સારવાર હેઠળ છે, જે પૈકી ભાવનગરની સર ટી. હોસ્પિટલમાં આ ક્ષણે ચાર દર્દીઓ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે, તેમજ 2 દર્દીઓ પ્રાઇવેટમાં ગંભીર સ્થિતિમાં છે.
  • હજુ જો હર્ષ સંઘવીની આંખ ખુલતી ન હોય તો આપણે બધા ગુજરાતીઓએ જંતર-મંતર પર જેમ બધી જ જાતિના, ધર્મના યુવાનો એક થયા તેમ આપણે બધા ગુજરાતીઓએ એક થવું જોઈએ અને ગુજરાતના ગૃહમંત્રી 8 ચોપડી પાસ હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ. તેનાથી ઓછું કશું નહીં ખપે.
  • ભાજપની ગુજરાત સરકાર હર્ષ સંઘવીનું રાજીનામું લે અને દાખલો બેસાડે કે હવે ગુજરાતની બહેન-દીકરીઓને વિધવા થવા દઈશું નહીં.
  • આપણા 5 વર્ષમાં રાહ જુઓ, ડ્રગ્સના કારણે ગુજરાતનું કોઈ ઘર બાકી નથી રહેવાનું. પૂરી જવાબદારી સાથે કહું છું, વિધાનસભાના મંચ પર રિપોર્ટ લઈને ગયો હતો કે 2019નો ભારત સરકારના સમાજ કલ્યાણ વિભાગનો રિપોર્ટ ગુજરાત ભાજપ સરકારે દબાવી રાખ્યો છે.
  • આ રિપોર્ટમાં ભારત સરકારે કહ્યું છે કે ગુજરાતમાં 19 લાખ લોકો ડ્રગ્સ યુઝર્સ તરીકે જોવા મળ્યા. 2019ના વર્ષમાં ભારત સરકારનો આ રિપોર્ટ છે. આજે 2026 પતવા આવ્યું છે, બીજા 25 લાખ લોકો ડ્રગ્સના યુઝર્સ બની ગયા છે.
  • એક જ માંગણી છે કે હવે હર્ષ સંઘવીનું રાજીનામું જોઈએ. હવે અમે ચૂપ નથી બેસવાના.
  • છેલ્લા 24 કલાકમાં ભાવનગર જિલ્લામાં દારૂ વેચાયો છે. મુખ્યમંત્રીના મતવિસ્તાર અને ગૃહમંત્રીના વિસ્તારમાં ગઈકાલે રાત્રે બેફામ દારૂ વેચાયો છે.

Related Posts

Load more